જામનગર જિલ્લાના ખેડૂતોને કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા ૩૧ ડીસેમ્બર સુધીમાં ડીજીટલ ગુજરાત પર અરજી કરવા અપીલ

જામનગર તા.૧૧ ડિસેમ્બર, રાજ્યમાં ખરીફ ઋતુમાં તારીખ ૧૫ ઓક્ટોબર થી ૨૦ નવેમ્બર દરમિયાન વાવાઝોડું, કમોસમી વરસાદ તેમજ કરા પડવાના કારણે ખેડૂતોને પાક કાંપણી, લણણી અને સંગ્રહના તબક્કે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે જે ધ્યાને આવતા સરકારશ્રી દ્વારા કૃષિ રાહત પેકેજ ખેડૂતોના લાભાર્થે જાહેર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના ખેડૂતોએ આ પેકેજનો લાભ મેળવવા દરેક ખેડૂત ખાતેદારે ‘ડીજીટલ ગુજરાત પોર્ટલ’ પર ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ મારફત ખાતાદિઠ એક અરજી કરવાની રહેશે અને ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો તે તમામ પૈકી એકને સહાય મળવાપાત્ર રહેશે તથા ઓનલાઈન કરેલ અરજી પત્રક, ૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/૭-૧૨, આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટની વિગત, સંયુક્ત ખાતાનું સંમતી પત્ર અથવા કબુલાતનામુ વગેરે સાધનીક કાગળો સાથે તા.૩૧/૧૨/૨૦૧૯ સુધીમાં તલાટી મંત્રી / ગ્રામ સેવકને મોકલી આપવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment